અમદાવાદ : દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા બહુજન સમાજે અમરાઈવાડી પી.આઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી

અમરાઈવાડી વિસ્તારમાં બહુજન સમાજના યુવા આગેવાનો દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Update: 2022-07-31 12:29 GMT

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બહુજન સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પીઆઈના વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરનો અમરાઈવાડી વિસ્તાર દારૂ જુગારના અડ્ડા માટે વર્ષોથી પ્રખ્યાત છે વર્ષોથી આ વિસ્તારમાં મોટા પાયે દારૂ જુગારના અડ્ડા ચલાવવામાં આવે છે અને યુવાધનને બરબાદી તરફ ધકેલવામાં આવે છે, ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં બહુજન સમાજના યુવા આગેવાનો દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અમરાઈવાડી વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં યુવકો દ્વારા વિરોધ કરતા અમરાઈવાડી પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિસ્તારમાં મોટાપાયે દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે તે બંધ કરાવવામાં આવે. આના કારણે યુવાધન નશાની લતે ચઢે છે. અને ભણતરનો અભાવ ઉભો થાય છે જેથી કરી અમરાઈવાડી પીઆઈને આવેદનપત્ર આપી અડ્ડાઓ બંધ કરવાને બહુજન સમાજ ના યુવકો દ્વારા રજુઆત કરવામાં આવી.

Tags:    

Similar News