અમદાવાદ : ત્રણ બિલ્ડર ગ્રુપ ત્યાંથી આવકવેરા વિભાગને મળ્યા કરોડો રૂપિયા,5 થી 6 દિવસની તપાસ યથાવત.. !

અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં છેલ્લા 5-6 દિવસથી આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે.

Update: 2022-02-15 08:40 GMT

અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં છેલ્લા 5-6 દિવસથી આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. અમદાવાદના આ ત્રણેય બિલ્ડર ગ્રુપ પર દરોડા માં આવકવેરા વિભાગને 10 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગ છેલ્લા 5-6 દિવસથી તપાસ કરી રહ્યું છે.

આવકવેરા વિભાગના દરોડા માં 10 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા અધિકારીઓએ હજુ સુધી એક લોકર જ ખોલ્યું છે. બીજું લોકર ખોલીને આજે તપાસ કરાશે. આવકવેરા વિભાગને હજુ વધારે બિનહિસાબી નાણું મળવાની આશંકા છે. આ તમામ જૂથની ઓફિસ અને ઘરેથી મળેલા ઇલેક્ટ્રોનિક ડેટા અને અન્ય વ્યવહારોની તપાસ હજુ બાકી છે. આ તમામ ડેટાનું વિશ્લેષણ અને વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. આ ડેટાના આધારે પણ મોટી બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે.અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.

આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો છે. IT અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યા છે.આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડરની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા. આ બિલ્ડર જૂથ અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ બનાવી કરોડો કમાવા છતાં સરકારે ટેક્સ ચુકવતા ન હતા. મોટાભાગના ગ્રાહકો પાસેથી 90 ટકા રકમ રોકડ લઈને 10 ટકા રકમના જ દસ્તાવેજ બનાવતા હતા. શિવાલિક બિલ્ડરમાં તો કેટલાક IAS અધિકારીઓને પણ બેનામી રોકાણ હોવાની ચર્ચા છે. 

Tags:    

Similar News