અમદાવાદ: ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા વાલ્મીકી સમાજ દ્વારા સાબરમતી નદીને ૧૨૫ મીટરની સાડી અર્પણ કરાય

ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

Update: 2023-01-06 10:13 GMT

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.તો સાથે મુખ્યમંત્રી અને વાલ્મીકિ સમાજના ધારાસભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ નહિ 'સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ' ના મંત્ર એ આ સિદ્ધ કરી દેખાડ્યું છે

Tags:    

Similar News