અમદાવાદ: ડે.સી.એમ. નિતિન પટેલના આડકતરા પ્રહાર,"ભૂતકાળમાં અમારા નેતાઓ પર પણ જૂતાં ફેંકાયા છે"

આપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.

Update: 2021-07-01 11:08 GMT

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પર થયેલ હુમલાના મામલામાં નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નિતિન પટેલે આડકતરી રીતે આપ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે ભૂતકાળમાં અમારા નેતાઓ પર પણ જૂતા ફેંકાયા છે હવે તેઓ ભોગ બંતા તેમને દુ:ખ થતું હશે.

જૂનાગઢના વિસાવદરના લોરિયા ગામે AAP પર કાર્યકરો પર હુમલા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સોમનાથ-વેરાવળમાં AAPના કાર્યકરોનો વિરોધ થયો જે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ AAPના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો. આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા.

નીતિન પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે ભૂતકાળમાં અમારા કાફલા પર પથ્થર મારો કરતા હતા તેમજ કાળા વાવટાએ ફરકાવી તોફાનો કરતા હતા અમે બધુ જોયેલું છે અને સહન કરેલું છે આવી ઘટનાઓ બને ત્યારે દુ:ખ થાય છે તેવું કહેતા નીતિન પટલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા છે અમે કોઈને વિચારો વ્યક્ત કરતા રોકી શકાય નહીં, આવી ઘટનાઓથી મને પણ દુ:ખ થાય છે એમ કહી કટાક્ષ કર્યો હતો.

Tags:    

Similar News