અંકલેશ્વર : સાયકલ પર અંકલેશ્વરથી દાંડીની સફર, દાંડીકુચની યાદોને કરી તાજી

Update: 2021-03-15 09:35 GMT

અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રીઓ દાંડી તરફ પ્રયાણ કરી રહયાં છે તેવામાં અંકલેશ્વરના સાયકલીસ્ટોએ એક નવતર અભિગમ અપનાવ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરના સાયકલ સવારો સાયકલ લઇને અંકલેશ્વરથી દાંડી ખાતે પહોંચ્યાં હતાં.

શરીરને તંદુરસ્ત રાખવા માટે સાયક્લિંગ એક સારો વ્યાયામ છે. ત્યારે દાંડી યાત્રાની 91માં વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના સૂર્યા ગૃપ ઓફ કંપનીઝના સહયોગથી અંકલેશ્વરથી દાંડી સુધી સાયક્લિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ અને અંકલેશ્વરના 10 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. આ અગાઉ સાયકલિસ્ટોના ગૃપે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રાનું બે વાર સફળ આયોજન કર્યું હતું. સાયકલ સવારો દાંડી પહોચ્યા બાદ સૂર્યા ગૃપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ જોશી પરિવાર સાથે દાંડી આવ્યા હતા અને તમામ સાયક્લિસ્ટોને મોમેન્ટો ગીફ્ટ આપી સાયક્લિંગ યાત્રાની પૂર્ણાહુતિ કરવી હતી.

Tags:    

Similar News