ભરૂચ : અમલેશ્વર ગામે ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો પર મધમાખીનું ઝુંડ ત્રાટક્યું, 3 લોકોને પહોચી ગંભીર ઇજા

Update: 2021-02-06 09:48 GMT

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે ખેતરમાં મધમાખીનો હુમલો થતાં 3 શ્રમિકોને ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે સવારના સમયે ખેતરમાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકો પર અચાનક મધમાખીનું ઝુંડ ત્રાટક્યું હતું, ત્યારે મધમાખીના હુમલાના 3 જેટલા શ્રમિકોને ગંભીર ઇજા પહોચી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ઇજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નવેઠા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તો પૈકી એક શ્રમિકની હાલત વધુ ગંભીર જણાતા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Tags:    

Similar News