ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલાં બહુચર માતા મંદિર ખાતે ઓલ ઇન્ડિયા કિન્નર સમાજનાં સંમેલનનો પ્રારંભ થયો છે.
નાયક રેખાકુંવર લાડુ કુંવર, મિયાગામના નાયક માયા કુમાર કપિલા કુવર, અરુણા કુવર, ઉર્મિલા કુંવર, રંજન કુવર, લતા કુવર નાયક, નવસારીના નાયક પૂનમ કુવર ચંપા કુવર, સુરતના ચંદનકુવર રમીલા કુંવર, પેટલાદના નાયક આરતી કુંવર મદુકુંવર સહીત અન્ય અગ્રણીઓના પ્રયાસોથી સંમેલન યોજવામાં આવી રહયું છે.
તારીખ સાતમી ફેબ્રુઆરી સુધી ચાલનારા સંમેલનમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. બીજી ફેબ્રુઆરીના દિને નવચંડી યજ્ઞ તથા ત્રીજી ફેબ્રુઆરીએ જંબુસરમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. કોરોના મહામારી વહેલી તકે દૂર થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવશે તેમજ સમાજના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા કરી તેના ઉકેલની દિશામાં પ્રયાસો કરાશે.