ભરૂચના નેશનલ હાઇવે પર એવું શું થયું કે, હજારો વાહનચાલકો અટવાયાં, વાંચો આ સમાચાર

Update: 2019-12-12 07:19 GMT

ભરૂચની નર્મદા નદી પર કેબલ સ્ટેડ બ્રિજ અને ઝાડેશ્વર ચોકડીએ ફલાયઓવર બ્રિજ બની ગયાં બાદ ટ્રાફિકની સમસ્યા લગભગ ભુતકાળ બની ચુકી હતી પણ જુના સરદાર બ્રિજના સ્પાનને નુકશાન થવાથી જુનો સરદારબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાતાં ટ્રાફિકની સમસ્યાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. જુનો સરદારબ્રિજ બંધ હોવાથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અને મુંબઇ સહિતના મહારાષ્ટ્ર તરફ જતી કાર, એસયુવી સહિતના વાહનો નવા સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ડાયવર્ટ થયાં છે.

ગુરુવારના રોજ ગોલ્ડનબ્રિજ અને નેશનલ હાઇવે પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી હતી. નવા સરદારબ્રિજના રસ્તા પર પડેલાઓ ગાબડાઓ રીપેર કરવામાં આવતાં નહિ હોવાથી વાહનો એકદમ ધીમી ગતિએ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. હાઇવે પરથી પસાર થતી કાર ગોલ્ડનબ્રિજના રસ્તે આવી રહી છે પણ ભરૂચમાં ફલાય ઓવરની કામગીરી ચાલતી હોવાથી રસ્તો સાંકડો બની ગયો છે જેના કારણે અહીં પણ ટ્રાફિકની સમસ્યા વકરી છે જેનો ભોગ ભરૂચ અને અંકલેશ્વરના સ્થાનિક રહીશો બની રહયાં છે.બુધવારના રોજ ગોલ્ડનબ્રિજ અને સરદારબ્રિજ પર પાંચ કીમીથી વધારે વાહનોની કતાર લાગી હતી જેમાં હજારો વાહનચાલકો અટવાય પડયાં હતાં.

Similar News