ભરૂચ: શુકલતીર્થ ગામે નર્મદા હાઈસ્કૂલની હોસ્ટેલમાં વિધ્યાર્થીએ કર્યો આપઘાત

Update: 2021-03-06 16:49 GMT

ભરૂચના શુક્લતીર્થ ગામે નર્મદા હાઇસ્કૂલની હોસ્ટેલમાં વિધ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતાં વાગરાના અદોડ ગામના વિધ્યાર્થીએ હોસ્ટેલના બાથરૂમમાં આપઘાત કર્યો. આપઘાત કરવા પાછળનું કારણ હજી અકબંધ છે પરંતુ ઘટનાને પગલે ભરૂચ જિલ્લાના સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા કેટલાક દિવસોથી આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે શનીવારની સાંજે વધુ એક આપઘાતનો બનાવ ભરૂચા જીલ્લામાં સામે આવ્યો છે. શુક્લતીર્થ ગામની નર્મદા હાઈસ્કૂલની હોસ્ટેલમાં રહી 12માં ધોરણમાં અભ્યાસ કરતો મૂળ વાગરાના અડોદ ગામનો 18 વર્ષીય મોહિતસિંહ પ્રવિણસિંહ ગોહિલે બાથરૂમમાં ટાવલનો ઉપયોગ કરી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વિધ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની પ્રાથમીક માહિતી મળી છે. બનાવની જાણ થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે પોલીસની જાણ કરાતા નબીપુર પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

Tags:    

Similar News