ભરૂચમાં નર્મદા નદીમાં સામુહિક આત્મહત્યા કરનારનો વલસાડના પાડોશીએ કર્યો ખુલાસો

Update: 2019-08-22 09:52 GMT

ભરૂચ ના ઝાડેશ્વર ખાતે વલસાડ ના એક પરિવાર ના 2 સભ્યો ના નર્મદા નદી માંથી મૃતદેહ મળી આવ્યા હતા જેને લઈને વલસાડ ખાતે ની પરિવાર જ્યાં રહે છે એ સોસાયટી માં ગમગીની ફેલાઈ ગઈ હતી.

વલસાડના સુંદરવન સોસાયટી માં રહેતા સાગર પરિવાર ના 3 સભ્યો નર્મદા નદી માં ઝંપલાવ્યું હતું જે માંથી 2 વ્યક્તિ રામકુમાર સાગર અને મૌસમી સાગર ની લાશ મળી આવી છે જેમાંથી રંજન બેન સાગર ની શોધખોળ શરુ છે સ્થાનિક સોસાયટી ના લોકો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ પરિવાર ના લોકો સાથે કોઈનો પણ સંબંધ કે વ્યવહાર નથી અને તેઓ પોતાની રીતે ઝીંદગી જીવતા હતા તેઓ ગતરોજ બપોરે 3 વાગ્યા ના સુમારે વલસાડથી નીકળ્યા હતા અને ઘરે માત્ર દોલતરાય સાગર હાજર હતા આજરોજ જયારે પોલીસ દ્વારા સોસાયટીના રહીશ ને જાણ થઇ ત્યારે પણ દોલતરાય સાગર દ્વારા કોઈ પણ વ્યક્તિ નેજાણ કર્યા વગર તેઓ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ ભરૂચ જવા માટે નીકળી ગયા હતા પરિવારના સભ્યો દ્વારા આવું કેમ કરવામાં આવ્યું એ હાલ હાજી પણ રહસ્ય બન્યું છે

 

Tags:    

Similar News