જંબુસરના નહાર ગામે યુવકે ઝેરના પારખા કરી મોતને વાહલું કર્યું, આવતા મહિને યુવકના હતા લગ્ન

નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો

Update: 2024-01-19 16:40 GMT

હાલના સમયમાં કોઈના કોઈ કારણો સર લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે વધુ એક ઘટના ભરૂચ જિલ્લાના જંબુસરમાં બની છે જેમાં મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે મૃતક યુવક પ્રવીણ પરમારના આગામી તારીખ 19/02/2024 ના રોજ લગ્ન થવાના હતા હાલતો કાવી પોલીસે મૃતદેહનો કબજો લઈ લાશને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Tags:    

Similar News