અંકલેશ્વર: ખરોડ ગામ ખાતે પોલીસ દ્વારા યોજાયો લોક દરબાર,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે યોજાયેલ લોક દરબારમાં હાજરી આપી હતી
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે યોજાયેલ લોક દરબારમાં હાજરી આપી હતી
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, DYSP ચિરાગ દેસાઈ, ગામના સરપંચ ફેજલ કાઝી, ડે.સરપંચ ઇમરાન લહેરી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામ આને આસપાસ સુરક્ષા તેમજ સલામતી બાબતના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.