ભરૂચ: ઝઘડિયા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટીના ૭૫માં વર્ષના પ્રવેશ નિમિત્તે અમૃત જયંતિ સમારોહ યોજાયો

ઝઘડિયા તાલુકા મથકે આવેલ ઘી ઝઘડીયા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ છેલ્લા ૭૫ વર્ષથી ખેડૂતોના ઉત્થાન માટે ઝઘડિયા તાલુકા મથકે કાર્ય કરે છે,

Update: 2023-06-06 12:01 GMT

ભરૂચના ઝઘડિયા તાલુકા મથકે આવેલ ઘી ઝઘડીયા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ છેલ્લા ૭૫ વર્ષથી ખેડૂતોના ઉત્થાન માટે ઝઘડિયા તાલુકા મથકે કાર્ય કરે છે, સોસાયટી ૧૨૮૫ જેટલા સભાસદો ધરાવે છે સોસાયટી ઝઘડિયા ઉપરાંત રાણીપુરા, મોટાસાંજા, લીમોદરા જેવા ૧૧ ગામોના ખેડૂત સભાસદો ધરાવે છે. ખેડૂતોને લગતી સરકારી યોજનાની સહાય ઉપરાંત સોસાયટી ખેત ઓજાર, ખાતર વિગેરેનું વેચાણ કેન્દ્ર ધરાવે છે. આઝાદી બાદ સ્થપાયેલી આ સોસાયટીમાં વિવિધ પ્રમુખોના હસ્તે ખેડૂતલક્ષી કાર્ય કરવામાં આવ્યા છે, આજે તે ૭૫ માં વર્ષમાં પ્રવેશી રહી છે તે નિમિત્તે વર્તમાન પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા અમૃત જયંતિ મહોત્સવની ઉજવણીનુ આયોજન કરવામાં હતુ. આ ઉજવણી પ્રસંગે ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ચેરમેન રણજીતસિંહ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દીપક પટેલ, ઝઘડિયા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્ર વાસદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

Tags:    

Similar News