ભરૂચ : કોલવણા ગામે આંખના રોગ અંગે નિદાન કેમ્પ યોજાયો, મોતિયાના દર્દીઓને અપાશે નિઃશુલ્ક સારવાર...

આમોદ તાલુકાના કોલવણા ગામે આંખના રોગ માટેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 35 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

Update: 2022-06-14 11:36 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે આંખના રોગ માટેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 35 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ સાથે જ ચકાસણી દરમ્યાન મોતિયાના 8 દર્દીઓ મળી આવતા તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવનાર છે.

આમોદના કોલવણા ગામે રેફરલ હોસ્પિટલ આમોદના ડૉ. સંદીપ શાહ દ્ધારા આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 35 જેટલા દર્દીઓ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આંખોની સમસ્યાઓને દૂર કરવા આવેલ દર્દીઓનું ચેકઅપ કરી સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન 8 જેટલા મોતિયાના દર્દીઓની શોધી કાઢવામાં આવ્યા હતા. આ દર્દીઓનું નિઃશુલ્ક ઓપરેશન થાય તે માટે ભરૂચની નારાયણ હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટૂંકી મુદ્દતમાં WBVFના ગ્રામ્ય સંયોજક ટીમ કોલવણા, ગામ અગ્રણી ગુલામ મુસા, અનવર ઇસ્માઇલ હાજી, શબ્બીર વટાણીયા, આંગણવાડી કાર્યકર, આશાવર્કર બહેનો અને સામાજીક કાર્યકરોના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રસંગે સરપંચ ઝફર ગડીમલ, પી.એચ.સી. સમનીના આરોગ્યકર્મી હિતેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અન્ય 2 ગામ કેરવાડા અને તણછા ગામે પણ આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જ્યાં 34 દર્દીઓની આંખ ચકાસવામાં આવી હતી. જેમાં કેરવાડા ગામના 5 અને તણછા ગામના 3 મોતિયાના દર્દીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.

Tags:    

Similar News