ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ, મનસુખ વસાવાને રેકોર્ડ લીડથી જીતાડવા આહવાહન

ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું...

Update: 2024-04-25 05:16 GMT

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ વખતે આપ કે ઇન્ડિ ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું. તેની ચૂંટણી લડવાની ખો ભુલાવી, ડિપોઝીટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તક ને ઝડપી લઈ દેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું.સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત, જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવી હતી. તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો 6 ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સી.આર. પાટીલે ગણાવ્યા હતા.ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્યો, શહેર, તાલુકા પ્રમુખો, આગેવાનો, કરજણ વિધાનસભાના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Tags:    

Similar News