ભરૂચ અંકલેશ્વર માર્ગ પર બાઇકનું ટાયર ફાટતા અકસ્માત, બાઇક ચાલકનું મોત

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ અને અક્ષર આઇકોન વચ્ચે બાઈક ચાલકને અકસ્માત નડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.

Update: 2023-02-21 10:53 GMT

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ અને અક્ષર આઇકોન વચ્ચે બાઈક ચાલકને અકસ્માત નડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.

મૂળ બિહાર અને હાલ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ નર્મદા સોસાયટીમાં રહેતા ગુડડુંકુમાર હરેન્દ્રપ્રસાદ પટેલ અને તેઓના રૂમ પાર્ટનર 32 વર્ષીય પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘ અને કેશવકુમાર જાનહ સાથે અલગ અલગ મોટર સાઇકલ ઉપર અંકલેશ્વરથી ભરૂચ જવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ અને અક્ષર આઇકોન વચ્ચે બાઈક નંબર-જી.જે.16.બી.એ.6487 ઉપર કેશવકુમાર જાનહ અને પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘ સવાર હતા તે વેળા બાઈકનું ટાયર ફાટતા બાઈક માર્ગ ઉપર ડિવાઇડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેઓને 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News