ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....

ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....

Update: 2022-03-02 10:31 GMT

ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....

ભરૂચ શહેરમાં વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહયો છે.. રખડતા ઢોરોના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે તો અનેક લોકો હોસ્પિટલ ભેગા થઇ ચુકયાં છે. શહેરના તુલસીધામ વિસ્તારમાં ફરીથી આખલાઓની હાજરથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો છે. બે દિવસ અગાઉ તુલસીધામ વિસ્તારમાં આખલાઓની ફાઇટ જોવા મળી હતી.

ભરૂચ શહેરમાં તંત્ર પશુપાલકો સામે લાચાર બની ગયું હોય તેમ લાગી રહયું છે. મોટા ભાગના વિસ્તારોમાં આખલાઓ આતંક મચાવી રહયાં હોવા છતાં નગરપાલિકા તરફથી નકકર કાર્યવાહી કરાતી નથી. પોતાના ઢોરોને રખડતા મુકી દેતા પશુપાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Tags:    

Similar News