અંકલેશ્વર : પાર્થની મદદ માટે ભાજપનો યુવા મોરચો આવ્યો આગળ, જુઓ કેવી રીતે કરી મદદ

ગડખોલનો પાર્થ પવાર માંગી રહયો છે જીંદગી, પાર્થની જીંદગી બચાવવાની કીમંત છે 16 કરોડ રૂપિયા.

Update: 2021-09-17 12:33 GMT


અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતાં પાર્થ પવારની જીંદગી બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે ત્યારે ભાજપના યુવા મોરચાએ પાર્થને મદદરૂપ થવા માટે ફંડ ઉઘરાવ્યું હતું.

અંકલેશ્વરના ગડખોલના પાર્થને પણ તે એસએમએ-1 નામની બિમારી છે. આ બિમારીના ઇલાજ માટે અમેરિકાથી ઇન્જેકશન મંગાવવું પડતું હોય છે અને આ ઇન્જેકશનની કિમંત છે 16 કરોડ રૂપિયા પાર્થ પવાર પર સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના માટે 16 કરોડ રૂપિયા એક સ્વપન સમાન છે.

પાર્થને મદદરૂપ થવા માટે અંકલેશ્વર શહેર યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો આગળ આવ્યાં છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં દુકાને -દુકાને ફરી ફંડ ઉઘરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News