બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનાં સારા સ્વાસ્થ્ય માટે ભોપાલના નવ દુર્ગા મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે

Update: 2020-07-12 10:12 GMT

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે ભોપાલમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાજધાનીના ટીટી નગર વિસ્તારમાં આવેલા નવ દુર્ગા મંદિરમાં બચ્ચનના સ્વાસ્થ્ય માટે રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. મંદિરના સંચાલક ચંદ્રશેખર તિવારીએ જણાવતા કહિયું કે અમિતાભ બચ્ચન દેશનું ગૌરવ છે. તેઓ દરેકના દિલમાં રહે છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ જલ્દી સાજા થઈ જાય તે માટે અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News