ભરૂચ: દાંડીયાબજાર સ્થિત શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

શનિ જયંતિ નિમિતે સમસ્ત ભાર્ગવ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2023-05-19 12:06 GMT

ભરૂચના દાંડીયાબજાર સ્થિત શનિ મંદિર ખાતે શનિ જયંતિ મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ જયંતિ નિમિત્તે શનિ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી હતી. શનિ જયંતિ નિમિતે સમસ્ત ભાર્ગવ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે મંગળા આરતી, બપોરે મધ્યાહન આરતી શનિયાગ અને સાંજે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ તમામ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી 

Tags:    

Similar News