અક્ષય કુમારની ટ્રોલિંગ પર અજય દેવગનની પ્રતિક્રિયા, તમાકુની જાહેરાત પર કરી આ વાત

અક્ષય કુમાર પહેલીવાર તમાકુ બ્રાન્ડ વિમલની જાહેરાતમાં શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે જોવા મળ્યો હતો.

Update: 2022-04-21 12:27 GMT

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર પોતાની એક જાહેરાતથી છવાયેલો છે. અક્ષય કુમાર પહેલીવાર તમાકુ બ્રાન્ડ વિમલની જાહેરાતમાં શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે જોવા મળ્યો હતો. ત્રણેય સુપરસ્ટાર્સને એક ફ્રેમમાં દર્શાવતી આ એડ ન માત્ર વાયરલ થઈ હતી પરંતુ તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી. ત્રણેય સ્ટાર્સમાં સૌથી મોટો વિવાદ અક્ષય કુમારને લઈને થયો હતો.

અક્ષય કુમાર તમાકુ બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાને કારણે જબરદસ્ત ટ્રોલીંગનો સામનો કરી રહ્યો છે. મામલો જોર પકડતો જોઈને અક્ષય કુમારે માફી પણ માંગી લીધી છે. પરંતુ હજુ પણ સ્થિતિ અક્ષય કુમારની તરફેણમાં જોવા મળી રહી નથી. હવે અજય દેવગણે અક્ષય કુમારની ટીકા પર પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા અજય દેવગને કહ્યું કે કોઈ પણ વસ્તુને સમર્થન આપવું એ વ્યક્તિગત પસંદગી છે. દરેક વ્યક્તિ પોતાના માટે નિર્ણય લેવા માટે પૂરતી પરિપક્વ છે.

અજયે કહ્યું- કેટલીક પ્રોડક્ટ્સ એવી છે જે હાનિકારક છે અને કેટલીક એવી છે જે હાનિકારક નથી. હું તેનું નામ લીધા વિના આ કહીશ કારણ કે હું તેને પ્રમોટ કરવા માંગતો નથી. હું એલચીની કરું છું. મને લાગે છે કે જાહેરાત કરતાં વધુ જો કંઈક ખોટું હોય તો તેને વેચવું જોઈએ નહીં.

Tags:    

Similar News