પંકજ ત્રિપાઠીના જીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બહેન હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર

બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

Update: 2024-04-21 04:07 GMT

બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ, અભિનેતાની બહેન સરિતા તિવારી અને જીજા રોડ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં પંકજ ત્રિપાઠીના જીજા રાજેશ તિવારી ઉર્ફે મુન્ના તિવારીનું મોત થયું હતું. જ્યારે બહેન હોસ્પિટલમાં દાખલ છે.

ટાઈમ્સના અહેવાલ મુજબ, આ અકસ્માત ઝારખંડના ધનબાદના નિરસામાં થયો હતો, જે જીટી રોડ પાસે છે. આ અકસ્માતમાં પંકજ ત્રિપાઠીના જીજાનું મોત થયું હતું, જ્યારે તેની બહેન ધનબાદની SNCU હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માત શનિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો.

રાજેશ તિવારી અને સરિતા તિવારી બિહારના ગોપાલગંજથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા. નિરસા માર્કેટ ચોક પહોંચતા પહેલા જ તેને અકસ્માત થયો હતો. રાજેશ અને સરિતાની કાર બીજી કાર સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બંનેને ધનબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજેશની હાલત નાજુક હોવાને કારણે અનેક પ્રયાસો બાદ પણ તે બચી શક્યો ન હતો. સરિતા તિવારી ICUમાં દાખલ છે.

Tags:    

Similar News