સલમાન ખાનના વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસે શરૂ કરી તપાસ

બોલિવૂડ એક્ટર સલમાન ખાન બાદ હવે તેના વકીલ એચ સારસ્વતને પણ પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

Update: 2022-07-07 08:02 GMT

બોલિવૂડ એક્ટર સલમાન ખાન બાદ હવે તેના વકીલ એચ સારસ્વતને પણ પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પત્ર મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે એચ સારસ્વતને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સલમાનના વકીલને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી આ ધમકી મળી છે.

મળતી માહિતી મુજબ, સલમાનના વકીલને આ ધમકી લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી મળી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વકીલનું ભાગ્ય પણ સિદ્ધુ મુસેવાલા જેવું જ હશે. આ સાથે પત્રમાં GB,LB પણ લખવામાં આવ્યું છે. કથિત રીતે, આ ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈના પ્રતીકાત્મક નામો છે.

રિપોર્ટ અનુસાર, સલમાનના વકીલે આ મામલે જોધપુરમાં ફરિયાદ નોંધાવી છે કે તેને એક પત્ર મારફતે જવાથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મામલો સામે આવ્યા બાદ એડીસીપી ઈસ્ટ જોધપુર નાઝીમ અલીનું કહેવું છે કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને વકીલ એચ સારસ્વતને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે.

Tags:    

Similar News