રાજ્યમાં આજે કોરોનાના 61 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 39 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 61 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે

Update: 2021-12-07 17:14 GMT

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 61 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Tags:    

Similar News