અમરેલી : રામપરા ગામના 2 વૃદ્ધો પાણીમાં તણાયા, પંથકમાં અરેરાટી...

રાજુલા તાલુકાના રામપરા ગામે 2 વૃદ્ધ પાણીમાં તણાયા હતા. પુર્વ સંસદીય સચિવ હિરા સોલંકીને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Update: 2021-10-18 06:32 GMT

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામના 2 આહીર વૃદ્ધ પાણીમાં તણાયા હતા, ત્યારે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક વૃદ્ધની તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, રાજુલા તાલુકાના રામપરા ગામે 2 વૃદ્ધ પાણીમાં તણાયા હતા. આહિર સમાજના વૃદ્ધ પાણીમાં તણાયા હોવાની જાણ પુર્વ સંસદીય સચિવ હિરા સોલંકીને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે જાફરાબાદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ પણ શોધખોળ કરવામાં મદદમાં પહોચી હતી, જ્યારે અન્ય એક વૃદ્ધની તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, વહેલી સવારે 65 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.

Tags:    

Similar News