અમરેલી: પાણી મામલે પૂર્વ ધારાસભ્યએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, ભાજપે પણ આપ્યો વળતો જવાબ

અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

Update: 2023-11-20 11:28 GMT

અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરનો સરકાર સામે પ્રહાર કરતો વિડીયો સોશીયલ મિડિયામાં હાલ વાયરલ થયો છે જેમાં સૌની યોજનાનું પાણી બે દિવસ છોડીને ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પહેલાં બંધ કરાયું છે અને દીવાળી ટાઈમે ખેડૂતોની મશ્કરી કરી સૌની યોજનાનું પાણી છોડી ફોટો શેશન કરાયું હોવાનો ચોકવાનારો આક્ષેપ વીરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યો છે તો સૌની યોજનાના પાણીના વધામણા કર્યા અને ખેડૂતોના ખેતરે પાણી પહોંચે તે પહેલાં બંધ થયું છે

પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના નિવેદન સામે ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડનું નિવેદન સામે આવ્યું છે અને સૌની યોજનાના પાણીની પાઇપ લાઇનમાં લીમડી પાસે ફોલ્ટ આવેલો હતો ત્યારે ફરી પાણી છોડ્યું છે અને ખેડૂતોને જ્યારે રવિપાકમાં જરૂર પડશે સરકાર પાણી આપશે તેમ નીતિન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે

Tags:    

Similar News