અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહનની ટકકરે ટેમ્પાના ડ્રાયવર અને કલીનરના મોત

ભરૂચ જિલ્લાના માંડવા ટોલ પ્લાઝા નજીક અજાણ્યા વાહને આઇશર ટેમ્પોને ટક્કર મારતા ચાલક તથા કલીનરના મોત થયાં છે.

Update: 2021-06-20 10:30 GMT

ભરૂચ જિલ્લાના માંડવા ટોલ પ્લાઝા નજીક અજાણ્યા વાહને આઇશર ટેમ્પોને ટક્કર મારતા ચાલક તથા કલીનરના મોત થયાં છે. ઝઘડીયા પોલીસે ફરાર થઇ ગયેલાં વાહનચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક કોઈ અજાણ્યા વાહને આઇશર ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પાના ડ્રાયવર અને કલીનરના મોત થયાં છે. નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક મધ્યરાત્રીએ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે, ગફલતભરી રીતે હંકારી આઇશર ટેમ્પોને ટક્કર મારતા આઇશર ટેમ્પો ચાલક સુભાષ નાગજી ઠાકોર તેમજ ક્લીનર મહેશ નાગજી ઠાકોર (બન્ને રહેવાસી અમદાવાદ) ને ઇજા થઇ હતી. ટેમ્પો ચલાવી રહેલાં સુભાષ ઠાકોરનું સ્થળ પર જયારે કલીનર મહેશ ઠાકોરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે નર્મદા ટોલ પ્લાઝાના અધિકારી રોશનકુમારે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટોલપ્લાઝા તથા હાઇવે પર અન્ય સ્થળોએ લાગેલા સીસીટીવી ફુટેજના આધારે ફરાર થઇ ગયેલાં વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

Tags:    

Similar News