અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો છે જેનુ રાજ્ય સરકારના રમત-ગમત અને યુવા સાસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષે કારતક મહિનામાં બે દિવસ આયોજન થતું હોય છે ત્યારે પ્રથમ દિવસે અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી,સાંસદ, ભિલોડાના ધારાસભ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો.કૃષ્ણલીલા, ભજન સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા