બનાસકાંઠા : કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત , 4 લોકોના મોત

Update: 2022-12-25 03:58 GMT

રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના રાણપુર નજીક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.

અકસ્માતના બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, કુલ ચાર લોકોના આ અકસ્માતમાં કરૂણ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસે અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News