ભરૂચ : ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સંદર્ભે બેઠક યોજાઇ..

રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સંદર્ભે બેઠક આયોજિત કરાઈ

Update: 2022-05-01 04:29 GMT

રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સંદર્ભે બેઠક આયોજિત કરાઈ, પોલીસ સ્ટેશનની હડના 33 ગામના સરપંચો હાજર રહયા.


પવિત્ર તહેવારો રમઝાન ઈદ અને પરશુરામ જયંતિ ના આગામી તહેવારોને અનુલક્ષી ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી.એસ.આઈ. એ.કે.જાડેજા ની અધ્યક્ષતા મા એક મિટિંગ નું આયોજન કરાયું હતું. જેમાં નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવતા તમામ 33 ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા. આવનારા તહેવારો ને ધ્યાને રાખી પી.એસ.આઈ. એ. કે.જાડેઝા એ તમામને તહેવારો દરમ્યાન શાંતિ અને ભાઈચારા થી તહેવારો ઉજવાય તેવી અપીલ કરી હતી. આ બેઠકમાં હાજર રહેલા 33 ગામોના પ્રતિનિધિઓએ આગામી તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તેની ખાતરી આપી હતી. પી.એસ.આઈ. એ. કે. જાડેઝા એ જણાવ્યું હતું કે કોઈપણ તહેવાર સમાજમાં ભાઈચારો અને એકતા સ્થાપિત કરવા માટેનો એક પર્વ હોય છે જેથી આવા પાવન પર્વો દરમ્યાન આપણે પણ સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ અને શાંતિ ભંગ ના થાય તેની પૂરી તકેદારી રાખવી જોઈએ. આ પ્રસંગે નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

Tags:    

Similar News