ભાવનગર : રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી હવે રીન્યુઅલ કરાવી શકાશે

ભાવનગર રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી હવે રીન્યુઅલ કરાવી શકાશે

Update: 2021-12-02 04:52 GMT

ભાવનગર રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી હવે રીન્યુઅલ કરાવી શકાશે, ત્યારે વિનિમય કચેરીનો ટેલિફોનિક સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે.

ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે, જેમની નામ નોંધણી તા.૦૧/૦૧/૨૦૨૨ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય કચેરીનો ટેલિફોનિક સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે.

Tags:    

Similar News