ચૈતર વસાવા હવે હાઇકોર્ટના શરણે, નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે કરી અરજી

લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.

Update: 2024-03-21 07:32 GMT

લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.એક તરફ અગાઉના કેસમાંથી તેઓ માંડ માંડ છુટવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં ચૂંટણી સમયે જ તેમને કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે.લોકસભા ચૂંટણી નજીકમાં જ છે. ચૈતર વસાવા મતદારો વચ્ચે સતત જઇ રહ્યા છે. જો કે નર્મદામાં હજુ પણ તેઓ મતદારો પાસે જઇ શકતા નથી. ચૈતર વસાવાએ નર્મદા સેસન્સ કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવાની અરજી કરી હતી. ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા છે જેની સામે ચૈતર વસાવાએ રાજપીપળા કોર્ટ સમક્ષ અરજી પ્રવેશબંધી રદ કરવા અપીલ આપી હતી.જો કે તેમાંથી પણ નિરાશા મળી હતી.હવે રાજપીપળા કોર્ટમાંથી નિરાશા બાદ ચૈતર વસાવા હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. પ્રવેશબંધી હટાવવાની માગ સાથે વડી અદાલતમાં તેમણે અરજી કરી છે.ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી મતદારો પાસે મત માગવો એ અધિકાર હોવાની તેમણે અરજી કરી છે. અગાઉ રાજપીપળા કોર્ટે નર્મદામાં પ્રવેશબંધી હટાવવાની માગ ફગાવી હતી. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

Tags:    

Similar News