ગીરસોમનાથ: તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર રીતે યુવકોને માર મારવામાં આવ્યો, મામલતદારને પાઠવાયું આવેદનપત્ર

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર મારમારવાનો મામલો સામે આવ્યો હતો.

Update: 2023-12-16 11:54 GMT

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર માર મારવાના મામલે ભોગ બનનાર યુવાનના પરિવારજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર મારમારવાનો મામલો સામે આવ્યો હતો.આ મામલે સ્થાનિકો તેમજ ભોગ બનનાર યુવકો દ્વારા તાલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ આપ્યું.બોરવાવ ગામ નજીક રાજકોટના યુવકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાંથી પસારથતાં વન કર્મચારીઓએ રોક્યા હતા.વન વિભાગ દ્વારા ગેરકાયદે ગોંધી રાખી બેફામ માર માર્યાનો યુવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.તાલાલા પોલીસમાં યુવકની ફરિયાદ આધારે વન કર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે

Tags:    

Similar News