ગુજરાતીઓને આજથી ગરમીમાં મળશે આંશિક રાહત,વાંચો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન બાદ પવનની દિશા બદલાઈ છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે એટલે કે, અરબી સમુદ્ર તરફથી પવન આવી રહ્યા છે.

Update: 2022-05-04 10:25 GMT

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન બાદ પવનની દિશા બદલાઈ છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે એટલે કે, અરબી સમુદ્ર તરફથી પવન આવી રહ્યા છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાન નીચું જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.

અમદાવાદમાં દિવસ દરમિયાન 27 કિ મી ની ઝડપે પવન ફૂંકાતા ગરમી ઘટીને 41.3 ડિગ્રી થઇ છે. હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.મંગળવારે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છો. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, ભાવનગર, ડીસા સુરેન્દ્રનગરમાં મંગળવારે તાપમાન 40 ડિગ્રીને પાર થયુ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થી મંગળવારે પવનની દિશા બદલીને દક્ષિણ-પશ્ચિમી શરૂ થયાં છે. જેને કારણે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 27 કિ મી ની ઝડપે પવન ફૂંકાયો હતા. જેના કારણે ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો છે. હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેશે.એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી.45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જોકે, ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીથી થઈ અને હિટવેવની ફિકવન્સી પણ વધી ગઈ.સામાન્ય તો ઉનાળામાં દરિયા કિનારાના વિસ્તારમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેતું હોય છે.પરંતુ ઉનાળાની શરૂઆત થી સતત દરિયા કિનારાના વિસ્તારમાં તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે.

Tags:    

Similar News