ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 નવા કોરોના કેસ નોંધાયા, 928 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 928 લોકો કોરોના માંથી સાજા થયા

Update: 2022-08-06 16:37 GMT

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કોરોના વાયરસના કેસમાં સામાવ્ય વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 928 લોકો કોરોના માંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 259 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10975 પર યથાવત છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 259, વડોદરા કોર્પોરેશન 81, વડોદરા 60, રાજકોટ કોર્પોરેશન 56, સાબરકાંઠા 46, મહેસાણા 43, સુરત કોર્પોરેશન 42, કચ્છ 38, રાજકોટ 33, મોરબી 31, સુરત 26, અરવલ્લી 24, ગાંધીનગર 24, અમરેલી 23, વલસાડ 22, ગાાંધીનગર કોર્પોરેશન 15, આણંદ 14, બનાસકાંઠા 14, નવસારી 13, પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 10, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 8, ભરૂચ 7, અમદાવાદમાં 6 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 6029 એક્ટીવ કેસ છે જે પૈકી 18 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6011 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,43,489 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10975 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,39,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,85,87,706 લોકોનું રસીકરણ થયું છે.

Tags:    

Similar News