જામનગર: કૃષિપ્રધાન રાઘવજીની અધ્યક્ષતામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો, 35 નિવૃત્ત શિક્ષકોનું કરવામાં આવ્યુ સન્માન

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2023-04-08 09:14 GMT

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

જામનગરમાં મંત્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં કુંવરજીબાઈ જૈન ધર્મશાળા ખાતે મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત થતાં 21 શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેસ્થ કામગીરી કરનાર 14 શિક્ષકોનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષકટારીયા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા,ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા શિક્ષણાધિકારી મધુ ભટ્ટ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News