જુનાગઢ : મેંદરડા નજીક મંદિરમાંથી ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત...

જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.

Update: 2024-02-27 10:06 GMT

જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં 55 જેટલી ચોરીને અંજામ આપનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

ચોરી કરતા તસ્કરોએ હવે ધાર્મિક સ્થળોને પણ બાકાત નથી રાખ્યું, ત્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં જ મંદિરમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. મેંદરડા નજીક મંદિરમાંથી ચાંદીના છત્તર અને સોના-ચાંદીની કેટલીક ચીજ વસ્તુની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, ત્યારે મંદિરમાં થયેલ ચોરી મામલે જુનાગઢ જિલ્લા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. આ જુનાગઢ LCB પોલીસે સાગર ઉર્ફે લાલો, ભીખુ ઉર્ફે વિજય, રોહિત ગળકીયાની ધરપકડ કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં આ તસ્કરોએ જુનાગઢ, અમરેલી, દાહોદ અને રાજકોટના મંદિરમાંથી પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ત્રણેય તસ્કરોએ મળીને 55 જેટલી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. તો બીજી તરફ, ત્રણેય તસ્કરો પોતાના મોજશોખ માટે ચોરી કરતાં હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Tags:    

Similar News