સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે મકાનની દિવાલ ધરાશયી થતા મજુર યુવકનુ મોત,જાણો શું છે સમગ્ર મામલો..?

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે એક મકાનના રીનોવેશનનુ કામ ચાલી રહ્યુ હતુ

Update: 2022-04-10 04:42 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે એક મકાનના રીનોવેશનનુ કામ ચાલી રહ્યુ હતુ અને જે દરમ્યાન વર્ષો જુની પુરાણી દિવાલ ગસી પડતા એક મજુર યુવક કાટમાળ નીચે દટાતા મોત નિપજયુ હતુ.


પ્રાંતિજના મજરા ખાતે રહેતા કાંતિભાઈ પટેલના મકાનનુ રીનોવેશનનુ કામ ચાલુ હોય જેમા રાજસ્થાનના ડુંગરપુરનો યુવક પોતાના પરિવાર સાથે કડિયાકામ મજુરી કરી રહ્યો હતો ત્યારે કામ ઉપર સવારે પાણીનો છંટકાવ કરતો હોય અચાનક વર્ષો પુરાણી જુની દિવાલ ધરાશાયી થતા મજુર યુવક નરેશભાઇ બરંડા ઉપર દિવાલ નો કાટમાળ ધરાશાયી થતા નરેશભાઇ બરંડા દિવાલના કાટમાળ નીચે દટાયો હતો. જેમાં આજુબાજુના રહીશો સહિત મંડળીના ચેરમેન દશરથભાઇ પટેલ તથા સરપંચ વિજય સિંહ પટેલ સહિત લોકો દોડી આવ્યા હતા અને અડધો કલાકની જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલ યુવક નરેશભાઇને બહાર કાઢવામાં આવ્યો હતો અને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઇ જવામા આવ્યો હતો. જયા હાજર તબીબી દ્રારા યુવક ને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવાર ઉપર આભ ફાટયુ હતુ તો મંડળી ના ચેરમેન દ્રારા આ ધટનામા મૃતક પામેલ પરિવારને મદદ મળે તે માટે પંચાયત તથા પ્રાંતિજ ટી.ડી.ઓ નિતિનભાઈ ચૌધરી પણ આ ગરીબ પરીવારને સરકારી સહાય મળી રહે તે માટે રજુઆતો કરવામા આવી હતી. 

Tags:    

Similar News