કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જામનગર રેલ્વે જંકશન ખાતે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

રેલ્વે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શના જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ જામનગર રેલ્વે જંકશનની મુલાકાત લીધી હતી

Update: 2023-03-06 12:29 GMT

કેન્દ્ર સરકારના રેલ્વે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શના જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ જામનગર રેલ્વે જંકશનની મુલાકાત લીધી હતી. રેલ્વેને લગતાં પ્રશ્નો અને રજૂઆતો અંગે જામનગર મહાનગરપાલિકા તથા રેલ્વે વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ રેલ્વે હસ્તકની જમીન જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી વિકસિત કરવા, પાણીના નિકાલ માટે અંડર પાસનું નિર્માણ કરવા તેમજ રેલ્વે ફાટક અંગેની મંજૂરી વગેરે બાબતે ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

તેમજ જામનગર રેલ્વે જંકશનના રી-ડેવલપમેન્ટ અંગનો પ્લાન નિહાળી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં મેયર બીના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, રાજકોટ ડી.આર.એમ. અનિલ જૈન, ભાવનગર ડી.આર.એમ. મનોજ ગોયલ, ઇ.નાયબ કમિશનર ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, શ્યામલ કુમાર, એમ.એલ.પુરોહિત, સુનિલ મિણા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News