વલસાડ : રખોલી બ્રિજ પરથી યુવકનો મોતનો કૂદકો!

સેલવાસ પાસેથી પસાર થતી દમણગંગા નદી પરના રખોલી પૂલ પરથી યુવાને અગમ્ય કારણસર છલાંગ લગાવી મોતને વહાલું કરતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Update: 2024-02-28 12:06 GMT

વલસાડ નજીક આવેલ સેલવાસ પાસેથી પસાર થતી દમણગંગા નદી પરના રખોલી પૂલ પરથી યુવાને અગમ્ય કારણસર છલાંગ લગાવી મોતને વહાલું કરતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સેલવાસા પાસે આવેલ રખોલી દમણગંગા નદીનો પૂલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી અવારનવાર લોકો કુદીને મોતને વહાલું કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર કરાડ ખાડી પાડા ખાતે રહેતો યુવક કૃણાલ સુરેશભાઈ ગંગોડાએ આજરોજ સવારે કોઈ અગમ્ય કારણસર રખોલી પૂલ પરથી કૂદીને મોતને વહાલું કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કયાં કારણસર આત્મહત્યા કરી એનું કારણ જાણી શકાયું નથી. રખોલી પુલ પરથી અવારનવાર આત્મહત્યાના સમાચારો આવે છે.પ્રશાસન દ્વારા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ મુકવામાં આવ્યા હોવા છતાં પણ આવી ઘટના વારંવાર બની રહી છે. ત્યારે પુલની બંને બાજુ જાળી લગાવવામાં આવે તો આવી ઘટનાને રોકી શકાય એમ છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News