જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો નાસ્તામાં આ ઓછી કેલરીવાળા ખોરાકને સામેલ કરો...

શિયાળા દરમિયાન હેલ્ધી ખોરાક ખાવાનું હીથી શરીર હેલ્ધી રહે પરંતુ ધાણા લોકો શરીરને ઓછું કરવા માટે સવારની નાસ્તો સ્કીપ કરતાં હોય છે,

Update: 2023-12-18 10:21 GMT

આજકાલ લોકો ફિટ રહેવા માટે અવનવા નુશખા અપનાવતા હોય છે, અને તેમાય અત્યારે શિયાળા દરમિયાન હેલ્ધી ખોરાક ખાવાનું હીથી શરીર હેલ્ધી રહે પરંતુ ધાણા લોકો શરીરને ઓછું કરવા માટે સવારની નાસ્તો સ્કીપ કરતાં હોય છે, પરંતુ શરીરને ફિટ રાખવા માટે નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. નાસ્તામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોવા જોઈએ. જો કે ભારતના દરેક રાજ્યનો ખોરાક અલગ-અલગ હોય છે અને તેમાં ઘણી વેરાયટી હોય છે, પંજાબની જેમ, લોકો સવારે પરાઠા ખાવાનું પસંદ કરે છે, જ્યારે દક્ષિણમાં લોકો ઈડલી સંભારને પસંદ કરે છે. એક વાનગીમાં કેલરીની માત્રા વધુ હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે સમસ્યા બની જાય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ તેમના આહારમાં ઓછી કેલરીવાળા નાસ્તાનો સમાવેશ કરી શકે છે. જે ખાવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે.

ઉપમા :-

ઉપમા, દક્ષિણ ભારતની લોકપ્રિય નાસ્તાની વાનગી, વજન ઘટાડવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે રવા અને શાકભાજીને મિક્સ કરીને ઉપમા બનાવી શકો છો. તમે તેને સવારે નાસ્તામાં ખાઈ શકાય છે.

પૌઆ :-

મહારાષ્ટ્રની વાનગીમાં સામેલ પોહામાં ઓછી કેલરી હોય છે. તે ચોખામાંથી બનાવવામાં આવે છે, તે બટાકા, ડુંગળી અને મગફળી ઉમેરીને બનાવવામાં આવે છે.

ઈડલી :-

રવા, ચોખા અને દાળમાંથી બનેલી ઈડલી દક્ષિણ ભારતનો સૌથી પ્રિય નાસ્તો છે. એક મધ્યમ ઈડલીમાં માત્ર 39 કેલરી હોય છે.

ઢોકળા :-

ઢોકળા અથવા ખમણ એ ગુજરાતની એક વાનગી છે જે ચણાની દાળ, રવો, દહીં અને હળદર ઉમેરીને બનાવવામાં આવે છે. તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો.

વેજ સેન્ડવીચ :-

કાકડી, પાલક અને મકાઈ સાથે આખા ઘઉંની બ્રેડમાંથી બનેલી સેન્ડવીચ બનાવો; આ એક ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ વિકલ્પ છે.

મગદાળ પુડલા :-

આ વાનગી મગની દાળમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે તમે તમારા મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

Tags:    

Similar News