દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી , પીએમ મોદીએ પણ દેશવાસીઓને આપી શુભકામના

ગણેશ ઉત્સવની તૈયારી 31 ઓગસ્ટ બુધવારથી થય રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

Update: 2022-08-31 06:07 GMT

ગણેશ ઉત્સવની તૈયારી 31 ઓગસ્ટ બુધવારથી થય રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, "તમને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે.

https://twitter.com/narendramodi/status/1564794841074003968?cxt=HHwWgMCjicGnorcrAAAA

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને આજથી જ બાપ્પાની પૂજા શરૂ થાય છે. દેશભરના વિવિધ મંદિરોમાં આજે સવારથી જ બાપ્પાની પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. એટલું જ નહીં, લોકોએ આ તહેવાર પર બાપ્પાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ ચતુર્થીના અવસર પર પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સિદ્ધિવિનાયક ઉપરાંત, મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાંથી ગણેશ ચતુર્થીની ઉજવણી માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

આ તહેવાર, જેને ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શુભ દસ-દિવસીય ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના ભક્તો ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન તેમના જન્મની ઉજવણી કરે છે.

આ તહેવાર દરમિયાન લોકો ભગવાન ગણેશની મૂર્તિઓ તેમના ઘરે લાવે છે, ઉપવાસ કરે છે, અને વિવિધ વાનગીઓ તૈયાર કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે અને ધાર્મિક વિધિઓ કરે છે. 

Tags:    

Similar News