રાહુલ ગાંધી સામે ફરિયાદ, બંધારણ બદલવાના દાવા અંગે રામદાસ આઠવલેએ ચૂંટણી પંચને કરી ફરિયાદ

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

Update: 2024-05-09 07:32 GMT

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપ ચૂંટણી જીતશે તો દેશનું બંધારણ બદલવાના રાહુલના દાવા સામે આઠવલેએ વાંધો ઉઠાવ્યો છે.તેમણે કહ્યું- રાહુલ ગાંધીએ વારંવાર દાવો કર્યો છે કે જો બીજેપી ફરીથી સત્તામાં આવશે તો તે બંધારણને બદલી નાખશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત આ આરોપોને નકારી કાઢ્યા છે. રાહુલને વારંવાર આવા દાવા કરતા અટકાવવા જોઈએ અને તેમની સામે કોઈ પગલાં લેવા જોઈએ.

Tags:    

Similar News