પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ પહેલા મેકર્સેની મોટી જાહેરાત, દરેક થિયેટરમાં એક સીટ ‘બજરંગબલી’ માટે રહેશે ખાલી

Update: 2023-06-06 16:47 GMT

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રામાયણ પર આધારિત આ ફિલ્મ માટે લોકોમાં અત્યારથી જ એક્સાઈટમેન્ટ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોમાં આ ફિલ્મને જોવાની ઉત્સુક્તા વધી ગઈ છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના રિલીઝ સમયે નિર્માતાઓએ દરેક થિયેટરમાં ભગવાન હનુમાન માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે.

નિર્માતાઓએ કરી મોટી જાહેરાત

ચાહકો પહેલેથી જ આદિપુરુષને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્થિતિમાં નિર્માતાઓએ હવે આ ફિલ્મની રિલીઝ પર દરેક થિયેટરમાં ભગવાન હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે. ચાહકોમાં આ ફિલ્મ માટે વધુ ઉત્સાહ જોવા મળી શકે છે. મેકર્સ દ્વારા આ જાહેરાત ફિલ્મની રિલીઝના માત્ર 10 દિવસ પહેલા કરવામાં આવી હતી.

Tags:    

Similar News