હવે જેલમાંથી ચાલશે દિલ્હી સરકાર,કેજરીવાલે જેલમાં રહી પહેલો આદેશ જારી કર્યો !

Update: 2024-03-24 05:21 GMT

કથિત દારુ કૌભાંડમાં EDની કસ્ટડીમાં મોકલાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે ત્યાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેમની અટકાયત દરમિયાન જ કેજરીવાલે દિલ્હી સરકાર સાથે સંબંધિત તેમનો પહેલો આદેશ જાહેર કર્યો હતો. સીએમ કેજરીવાલે પાણી વિભાગ માટે આદેશો જાહેર કર્યા.

અહેવાલ છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિષી રવિવારે 24 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સીએમના આદેશ વિશે માહિતી આપશે.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલના 28 માર્ચ સુધી EDને રિમાન્ડ આપ્યા છે. કોર્ટની અંદર આજતક સાથે વાતચીત દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપુ અને જો મારે કરવું પડશે તો હું જેલમાંથી સરકાર ચલાવીશ. તેમણે કહ્યું કે પોતે અંદર હોય કે બહાર… સરકાર ત્યાંથી ચાલશે. કેજરીવાલે કહ્યું, ‘મને ખાતરી છે કે અમને સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ અમે આમાંથી કામ કરવાનો પ્રયાસ કરીશું. દિલ્હીના લોકો આ જ ઈચ્છે છે.

Tags:    

Similar News