વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળ્યા, કોવિંદનો કાર્યકાળ આ તારીખે પૂર્ણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી બેઠક માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ.

Update: 2022-07-13 11:06 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી બેઠક માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ બેઠકની વિગતો હજુ ઉપલબ્ધ નથી. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 11 દિવસ પછી 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ સચિવાલયે માત્ર ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે, દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ આવશે. NDAએ આ પદ માટે દ્રૌપદી મુર્મુને નોમિનેટ કર્યા છે. તેમનો મુકાબલો વિપક્ષના સામાન્ય ઉમેદવાર યશવંત સિંહા સામે છે.

Tags:    

Similar News