દેશમાં આગામી આદેશો સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખતા સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવાને હજુ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Update: 2022-02-28 07:12 GMT

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખતા સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવાને હજુ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આગામી આદેશો સુધી ભારતમાં અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઈટ્સ સ્થગિત કરવાથી કાર્ગો અને DGCA દ્વારા માન્ય ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં. આ સાથે, આ આદેશ બબલ વ્યવસ્થા હેઠળની ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. અગાઉ, દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને કારણે, સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવા પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો હતો. જણાવી દઈએ કે કોરોનાને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવનારી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ છે.

Tags:    

Similar News