જામનગર : બેડેશ્વર ખાતે મગફળીની ફોતરીના ગોડાઉનમાં લાગી આગ, ફાયર વિભાગ દોડ્યું

Update: 2019-11-13 07:57 GMT

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં

આવેલા મગફળીની ફોતરીના ગોડાઉનમાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા

લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.

આગ

લાગવાની ઘટનામાં સંગ્રહ કરેલો મગફળીની ફોતરીનો તમામ જથ્થો સળગી ઉઠયો હતો. જેના કારણે ભારે નુકશાન

થવા પામ્યું છે. બનાવ અંગે જામનગર મહા નગરપાલિકાની ફાયર

બિગેડ શાખાને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડને જાણ થતાંની સાથે જ બે

ટુકડીઓ ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. બે ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનામાં આગને

સમયસર કાબૂમાં લઈ લેતા આગ

વધુ પ્રસરતી અટકી હતી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ

થવા ન પામી હતી.

Similar News