કૃષિ કાયદો: મુખ્યમંત્રી કેજરીવાલ જંતર મંતર પર “આપ”ના પ્રદર્શનમાં જોડાયા, કેન્દ્ર પર કર્યા પ્રહાર

Update: 2020-10-12 12:02 GMT

આમ આદમી પાર્ટીએ આજે કૃષિ સંબંધિત કાયદાના વિરોધમાં દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ભાગ લીધો હતો.

વિપક્ષી પાર્ટીઓ નવા ખેડૂત કાયદા વિરુદ્ધ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. દરમિયાન, આમ આદમી પાર્ટી (આપ) ના પંજાબ એકમએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે જ્યારે ભાજપના લોકો 2014 માં મત માંગવા આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે અમે સ્વામિનાથન યોજના લાગુ કરીશું, એમએસપીની 1.5 ગણી કિંમત આપશે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમણે એમએસપી જ ખતમ કરી દીધી.

તેમણે કહ્યું, "તેઓ કહે છે કે આખા દેશમાં માત્ર 6 ટકા ખેડૂતોનો પાક એમએસપી પર ખરીદાય છે, આનો મતલબ એમએસપી જ બંધ કરી દેશો." જો તમે એમએસપી પર માત્ર 6 ટકા પાક ખરીદી રહ્યા છો, તો તે તમારી સરકારો માટે શરમજનક છે.

Tags:    

Similar News