મહીસાગર : સંતરામપુર-કડાણા અને ડુંગરપુર રોડ પર આવેલ મહી નદીના બ્રિજનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

Update: 2020-12-18 11:30 GMT

મહીસાગર જિલ્લામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે મહીસાગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કડાણા સિંચાઇ વિશ્રામ ગૃહ ખાતે યોજાવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં આવેલો મહી નદી પર  32 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો ઘોડીયાર બ્રીજનું લોકાર્પણ તેમજ આરોગ્ય વિભાગના પેટા આરોગ્ય કેન્દ્ર, માર્ગ મકાન વિભાગના કામ તેમજ રસ્તાના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ જશવંત સિંહ ભોભોર, મહીસાગર જિલ્લાના ભાજપા પ્રમુખ દશરથ બારીયા અને ધારાસભ્ય કુબેર ડીડોર તેમજ  જીગ્નેશ સેવક અને ભાજપ મહીસાગરના પૂવૅ પ્રમુખ જયપ્રકાશ  પટેલ અને મહીસાગર જિલ્લાના પંચાયતના સદસ્ય પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલા ઉપસ્થિત રહ્યા હતા. આમ કોરાના વાયરસની મહામારી બિમારીને ખાસ ધ્યાનમાં રાખીને અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Tags:    

Similar News